trends

Popular Posts

GYAN SETU SCOLARSHIP YOJNA 2023 ||જ્ઞાનસેતુ મેરીટ સ્કૉલરશીપ યોજના

 ગુજરાત રાજ્યના તેજસ્વી વિધાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કૉલરશીપ યોજના ધોરણ ૬ થી ૧૨ માટે


આથી રાજ્યમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ ૧થી ૫માં સળંગ અભ્યાસ કરી ધોરણ પનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિધાર્થીઓ પૈકીના તેજસ્વી વિધાર્થીઓ મેરીટના ધોરણે રાજ્યમાં કાર્યરત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ કે અન્ય બોર્ડ સાથે સંલગ્ન શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ સ્વ-નિર્ભર શાળાઓમાં ધોરણ ૬માં પ્રવેશ મેળવી ધોરણ ૧૨ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના આવા તેજસ્વી વિધાર્થીઓને સ્કોલરશીપ આપવાની બાબત રાજ્ય સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

👉 પુખ્ત વિચારણાના અંતે પ્રસ્તાવનામાં દર્શાવ્યા મુજબ ધોરણ ૫ પૂર્ણ કરેલા ૩૦,૦૦૦ તેજસ્વી વિધાર્થીઓને દર વર્ષે પસંદ કરી તેઓને ધોરણ ૬થી ૧૨ સુધીનાં અભ્યાસ માટે સ્કોલરશીપ આપવાની યોજના અમલમાં મૂકવાનું નીચેની શરતોને આધીન ઠરાવવામાં આવે છે.

ઠરાવઃ

    મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના PORTAL રજિસ્ટ્રશન લિંક 


    મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના PORTAL 
    (પ્રાથમિક )

     CLIK HERE

    Home page click here 

    મુખ્યમંત્રી જ્ઞાન સાધના  મેરીટ સ્કોલરશીપ યોજના PORTAL(માધ્યમિક 

    CLIK HERE

    Home page click here

    મહત્વની લિંક 

    CLIK HERE

    👉🔥 જ્ઞાન સેતુ નવીન જોગવાઈ સુધારા ઠરાવ Downlod  (21.10.23)

    🔥👉જ્ઞાન સાધના  શિષ્યવૃત્તિ  યોજના  2023 downlod


    🔥👉જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ  યોજના  2023 downlod

    🔥❤મુખ્યમંત્રી જ્ઞાનસેતુ (CET Exam -2023)મેરીટ યાદી pdf ❤👍

    મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે પસંદ થયેલ વિધાર્થીઓને શાળાઓની પસંદગીમાં વધુમાં વધુ વિકલ્પ મળી રહે તે જરૂરી છે. તેથી તેઓના ધોરણ ૬ થી ૧૨નાં અભ્યાસ માટે નીચે મુજબ અલગ અલગ વિકલ્પો ઉપલબ્ધ રહેશે.

    યોજનાનું નામ

    મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

    યોજનાના અમલીકરણ અધિકારી

    આ યોજનાના અમલીકરણ અધિકારી તરીકે નિયામકશ્રી, શાળાઓ રહેશે

    વિધાર્થીઓ માટે શાળાઓની પસંદગીના વિકલ્પોB.


    ઉપર-Aમાં દર્શાવ્યા મુજબના ધારાધોરણ મુજબ પસંદ થયેલ શાળાઓ ઉપરાંત નીચે મુજબની શાળાઓમાં પણ આ વિધાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. 

    i. વિધાર્થીએ જે અનુદાનિત શાળામાં ધોરણ ૫ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ મેળવવાપાત્ર ઠર્યો હોય અને તે પોતાની જુની અનુદાનિત શાળામાં ધોરણ ૬માં પ્રવેશ મેળવવા માગતો હોય તો તે પ્રવેશ મેળવી ધોરણ ૬ થી ૮ નો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશે.

    ii. વિધાર્થીએ જે સરકારી શાળામાં ધોરણ ૫ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ મેળવવાપાત્ર ઠર્યો હોય અને તે પોતાની જુની સરકારી શાળામાં કે અન્ય સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ ૬માં પ્રવેશ મેળવવા માગતો હોય તો તે પ્રવેશ મેળવી ધોરણ ૬ થી ૮ નો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશે.

    A. નિયામકશ્રી, શાળાઓ દ્વારા નીચે 4 Aમાં દર્શાવેલ નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમા અથવા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ


    iii. કોઇપણ સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધોરણ ૯ થી ૧રનો અભ્યાસ કરી શકશે.

    C. શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયેથી જો કોઇ વિધાર્થી શાળા બદલવા ઇચ્છે તો નિયામકશ્રી, શાળાઓ દ્વારા જાહેર કરેલ શાળાઓની અધતન પસંદગી યાદી પૈકીની કોઇપણ શાળામાં કે ઉપર B માં જણાવ્યા મુજબની શાળાઓ પૈકીની શાળાઓમાં પ્રવેશ મેળવી શકશે. એટલે કે ધોરણ ૬ પૂર્ણ કર્યા બાદ ધોરણ ૭ માં શાળા બદલી શકશે. તે જ રીતે

    👉અન્ય ધોરણોમાં પણ આ જોગવાઇ અનુસાર શાળા બદલી શકશે.

    👉જ્ઞાન સાધના  શિષ્યવૃત્તિ  યોજના  2023 downlod


    🔥👉જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ  યોજના  2023 downlod

    વિદ્યાર્થી ઓ 

    30,000

    નિયામકશ્રી, શાળાઓ દ્વારા શાળાઓની પસંદગીના ધારાધોરણ

    A. ઉપર ૩A ના કિસ્સામાં નીચે મુજબની ચારેય શરતો પૂર્ણ કરે તેવી સ્વ-નિર્ભર અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓનો નિયામકશ્રી, શાળાઓ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાની પસંદગી યાદીમાં સમાવેશ કરવાનો રહેશે.

    i. શાળાના છેલ્લા પાંચ વર્ષ પૈકી ઓછામાં ઓછું ત્રણ વર્ષનું ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાનું પરિણામ ૮૦% કરતા વધુ હોય.

    ii. શાળાઓમાં ધોરણ ૬ થી ૧૨નો સળંગ અભ્યાસક્રમ ચાલતો હોય.

    iii. ધોરણ ૬ થી ૮ પ્રાથમિક વિભાગ અને ધોરણ ૯ થી ૧ર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગનું સંચાલન એક જ ટ્રસ્ટ/સંસ્થા દ્વારા થતું હોય. . 

    iv. ધોરણ ૬ થી ૧૦ અથવા ધોરણ ૬ થી ૧ર સળંગ એક જ કેમ્પસમાં ચાલતા હોય

    B. દર વર્ષે શાળાઓની પસંદગી યાદી નિયામકશ્રી, શાળાઓ દ્વારા નવેસરથી પરિણામ અને અન્ય મુદ્દાઓને આધારે અધતન કરવાની રહેશે.

    C આ રીતે અધતન પસંદગી યાદીમાંથી બાકાત થયેલ શાળા જ્યાં સુધી પુનઃ પાત્રતા મેળવે નહીં ત્યાં સુધી આ યોજના હેઠળ નવા પ્રવેશ આપી શકશે નહીં. પરંતુ અગાઉનાં વર્ષમાં આવી શાળામાં પ્રવેશ મેળવેલ હોય તેવા વિધાર્થીઓ ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ તે જ શાળામાં પૂર્ણ કરી શકશે અથવા વિધાર્થીઓ તેમની ઇચ્છા મુજબ ઉપર ક્રમ 3(c) અનુસાર શાળા બદલી શકશે.

    D. દર વર્ષે વિધાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પહેલા નિયામકશ્રી, શાળાઓ દ્વારા પસંદ કરાયેલ શાળાઓની અધતન યાદી અને તેમના પુરા નામ, સરનામા, માધ્યમ અને સ્વ-નિર્ભર શાળાઓના કિસ્સામાં ગુજરાત સ્વ-નિર્ભર શાળા(ફી નિયમન) અધિનિયમ, ૨૦૧૭ અંતર્ગત નિયત કરેલ ફીની વિગતો અને અન્ય આનુષંગિક વિગતો સાથે જાહેર કરવાની રહેશે.

     વિધાર્થીઓને મળવાપાત્ર યોજનાના લાભો

    A. જે વિધાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ ૬માં પ્રવેશ મેળવશે તેવા વિધાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ ૬ થી શરૂ કરી ધોરણ ૧૨ પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ મળવા પાત્ર રહેશે

    👉ધોરણ ૬થી ૮નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.ર૦,૦૦૦

     👉ધોરણ ૯ થી ૧૦નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.૨૨,૦૦૦

     👉ધોરણ ૧૧થી ૧રનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂા.રપ,૦૦૦ 

    B. જે તે અનુદાનિત અને સરકારી શાળાઓમાં આ રકમનો ઉપયોગ સમગ્ર શિક્ષા દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓને આપવામાં આવતી સંયુક્ત શાળા ગ્રાન્ટ (School Composite Grant) નો ઉપયોગ કરવા માટેના પ્રવર્તમાન સૂચનાઓ અનુસાર કરવાનું રહેશે.

    C.  કોઇ પણ શાળામાં ધોરણ ૯ થી ૧૦ અથવા ધોરણ ૯ થી ૧૨ અનુદાનિત શાળા તરીકે ચાલતા હોય અને ધોરણ ૬ થી ૮ સ્વ-નિર્ભર શાળા તરીકે ચાલતી હોયઅથવા ધોરણ ૬ થી ૮ અનુદાનિત તરીકે અને ધોરણ ૯ થી ૧૦ અથવા ધોરણ ૯ થી ૧૨ અથવા ધોરણ ૧૧ થી ૧૨ સ્વ-નિર્ભર તરીકે ચાલતી હોયઆવા તમામ કિસ્સામાં જ્યાં ઉપર મુજબની ચારેય શરતો પૂર્ણ થતી હોય તો આવી શાળાઓમાં જે વિધાર્થીઓ પ્રવેશ મેળવશે તેઓને જેટલા ધોરણ સ્વ-નિર્ભર તરીકે ચાલતા હોય તેટલા ધોરણ પુરતુ જે તે ધોરણ મુજબ મળવાપાત્ર સ્કોલરશીપની રકમ જે તે વર્ષ માટે મળવાપાત્ર રહેશે.
    D. આ વિધાર્થીઓને સ્કોલરશીપની રકમ ઉપરાંત મફત બસ પાસની સુવિધા પણ મળશે

    અનુદાનિત અને સરકારી શાળાઓને મળવાપાત્ર નાણાકીય સહાય

    A. આ યોજના હેઠળ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનામાં પાત્રતા ધરાવતા વિધાર્થીઓ અનુદાનિત કે સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવે તો તે શાળાઓને નીચે મુજબ વિધાર્થી દીઠ નાણાકીય સહાય આપવામાં આવશે.

    👉ધોરણ ૬થી ૮માં પ્રવેશ મેળવેલ વિધાર્થી દીઠ વાર્ષિક ૩. ૨,૦૦૦

    👉ધોરણ ૯થી ૧૦માં પ્રવેશ મેળવેલ વિધાર્થી દીઠ વાર્ષિક રૂા. ૩,૦૦૦

    👉ધોરણ ૧૧થી ૧રમાં પ્રવેશ મેળવેલ વિધાર્થી દીઠ વાર્ષિક ૩।. ૪,૦૦૦


    વિધાર્થી અને શાળાને મળતી સહાયમાં સમયાંતરે વધારો

    ઉપર 5A અને 5B મુજબ વિધાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશીપની રકમમાં અને 6A મુજબ અનુદાનિત અને સરકારી શાળાઓને મળવાપાત્ર નાણાકીય સહાયમાં વધારો કરવા દર ત્રણ શૈક્ષણિક વર્ષ બાદ રાજ્ય સરકાર વિચારણા કરશે.

     લાભાર્થીઓ નક્કી કરવા માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ

    A. કોમન એન્ટ્રન્સ પરીક્ષાનું આયોજન અને અમલીકરણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે.

    B. તે માટેનો અભ્યાસક્રમ, પરીક્ષાનું માળખું તેમજ આનુષંગિક નિયમો રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવશે.

    .Cસરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીનો સળંગ અભ્યાસ કરી, ધોરણ ૫માં અભ્યાસ કરતા હોય અથવા ધોરણ પમાં ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિધાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજીત થનાર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે.

    D. આ પરીક્ષા માટે વિધાર્થીઓની ફી અંગેનો નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે.

    . કોમન એન્ટ્રસ ટેસ્ટનું પરિણામ અને મેરીટ લીસ્ટ

    A. કોમન એન્ટ્રસ ટેસ્ટ પરીક્ષામાં કટઓફ કરતા વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિધાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા નિયામકશ્રી, શાળાઓને સુપ્રત કરવાની રહેશે.

    B. ઉપર મુજબની યાદી પૈકીના વિધાર્થીઓના દસ્તાવેજની ખરાઇ સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અને અનુદાનિત શાળાઓના કિસ્સામાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા નિયામકશ્રી, શાળાઓની સૂચના અનુસાર કરવાની રહેશે.

    વિધાર્થીઓના પ્રવેશ માટેની પ્રક્રિયા

    A. ઉપર મુજબ ખરાઇ પછી જે વિધાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે પાત્ર થાય છે તેવા વિધાર્થીઓનું કામચલાઉ મેરીટ લીસ્ટ નિયામકશ્રી, શાળાઓ દ્વારા એક અલાયદા પોર્ટલ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે.

    B. રાજ્ય કક્ષાની યાદી તૈયાર કરતી વખતે સરકારના ધારાધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓનો સમાવેશ કરવાનો રહેશે અને દરેક કેટેગરીમાં ૫૦% લાભાર્થી કન્યાઓ રહેશે.

    C. સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓ નિયત સમય મર્યાદામાં ક્રમાંક ૩માં દર્શાવ્યા પ્રમાણેની કોઇપણ શાળામાં ધોરણ ૬માં પ્રવેશ મેળવી શકશે.

    D. શાળાઓએ આ રીતે સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવતા વિધાર્થીઓને જ્યારે ધોરણ ૬માં પ્રવેશ આપવામાં આવશે ત્યારે તેવા વિધાર્થીઓને તેઓની શાળાઓમાં પ્રવેશ બાબતનું જનરલ રજીસ્ટર નંબર સાથેનું પ્રમાણપત્ર, શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે વિધાર્થીને આપવાનું રહેશે.

    E.  વિધાર્થીના વાલીએ આ પ્રમાણપત્ર પોર્ટલ ઉપર આપવામાં આવેલ સૂચના અનુસાર નિયત સમયમર્યાદામાં અપલોડ કરવાનું રહેશે.

    F. પસંદગી મુજબની શાળામાં પ્રવેશ મેળવવાની સંપૂર્ણ જવાબદારી વિધાર્થીઓની અને તેઓના વાલીની રહેશે. તે બાબતે જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે નિયામકશ્રી, શાળાઓની જવાબદારી રહેશે નહીં.

     સ્કોલરશીપની રકમની ચૂકવણીની પ્રક્રિયા

    A. આ યોજના હેઠળ સ્કોલરશીપની ચૂકવણી નિયામકશ્રી, શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) થી સીધા વિધાર્થી/વાલીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

    B. નિયામકશ્રી, શાળાઓ દ્વારા આ સ્કોલરશીપ યોજના માટેના પોર્ટલમાં વિધાર્થીઓ દ્વારા મેળવેલ પ્રવેશ અંગેની જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત ખરાઇ કરવાની રહેશે.

    C. તે ખરાઇ કર્યા પછી વહેલામાં વહેલી તકે સંબંધિત વાલીના ખાતામાં તેઓની મળવાપાત્ર સ્કોલરશીપ રકમની ૫૦% રકમ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર(DBT) દ્વારા નિયામકશ્રી, શાળાએ ચૂકવી આપવાની રહેશે.

    D. સ્કોલરશીપના બીજા હપ્તાની ૫૦% રકમ શૈક્ષણિક વર્ષના બીજા સત્રની શરૂઆતમાં વિધાર્થીઓની પહેલા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે ચૂકવવાની રહેશે.

    E જ્યારે આ વિધાર્થી બીજા વર્ષે ધોરણ ૭માં પહોંચે ત્યારે ધોરણ ૬ની બીજા સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં બીજા વર્ષની સ્કોલરશીપના ૫૦% પહેલા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે

    F ધોરણ ૭ના પ્રથમ સત્રની ઓછામાં ઓછી ૮૦% હાજરીને આધારે બીજા સત્રની શરૂઆતમાં જ સ્કોલરશીપની બીજા હપ્તાની રકમ ચૂકવવાની રહેશે.

    G. આ જ કાર્યપ્રણાલી પછીના વર્ષોમાં પણ સ્કોલરશીપની ચૂકવણી વખતે લાગુ કરવામાં આવશે.

     H. સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવતા વિધાર્થીઓની વિધા સમીક્ષા કેન્દ્રના ઓનલાઇન એટેન્ડન્સ પોર્ટલ ઉપર નિયમિત રીતે હાજરી ભરવાની જવાબદારી જે તે શાળાની રહેશે.

    ।. સ્વનિર્ભર શાળાઓના કિસ્સામાં ગુજરાત સ્વ-નિર્ભર શાળા(ફી નિયમન) અધિનિયમ, ર૦૧૭ની જોગવાઇ મુજબ નક્કી થયેલ ફી આ સ્કોલરશીપની રકમ કરતા વધુ હોય તો તે વધારાની રકમ શાળાને ચૂકવવાની જવાબદારી વિધાર્થીના વાલીની રહેશે.

     સરકારી અને અનુદાનિત શાળાઓને નાણાકીય સહાયની ચૂકવણીની પ્રક્રિયા

    દર શૈક્ષણિક વર્ષના અંતે જેટલા વિધાર્થીઓ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ સાથે જે કોઇ સરકારી કે અનુદાનિત શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 80% હાજરી સાથે પૂર્ણ કરે છે તેવા વિધાર્થી દીઠ ઉપર 6Aમાં દર્શાવ્યા પ્રમાણેની રકમ નિયામકશ્રી, શાળાઓ તરફથી જે તે સરકારી શાળાઓના કિસ્સામાં શાળા વ્યવસ્થાપન સમિતિ અથવા અનુદાનિત શાળાઓના કિસ્સામાં શાળા સંચાલક મંડળના ખાતામાં જમા કરવામાં આવશે.

     અન્ય શરતો :

    A. વિધાર્થીઓ અને વાલીઓને તેમની પસંદગી મુજબની શાળાઓમાં પ્રવેશ મળે તે માટે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓ અને નિયત લાયકાત ધરાવતા શિક્ષકોની ઉપલબ્ધતાને ધ્યાને રાખી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણ દ્વારા તેમના સંલગ્ન આ યોજના હેઠળ પસંદ થયેલ શાળાઓને વધુ વિધાર્થીનો સમાવેશ કરવા માટે જરૂરી છૂટછાટ આપી શકશે.

    B. ધોરણ ૬થી ૧૨ના અભ્યાસ દરમિયાન કોઇપણ ધોરણમાં વિધાર્થી નાપાસ થાય અથવા શાળા શિક્ષણ છોડી દે અથવા વિધાર્થી સામે કોઇ પણ ગંભીર પ્રકારના શિસ્ત વિષયક પગલાઓ લેવામાં આવે તો આ યોજનાનો લાભ નિયમાનુસાર તેઓને આપવામાં આવશે નહીં.

    C. શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયેથી જો કોઇ વિધાર્થી શાળા બદલવા ઇચ્છે તો તે બાબતે જે તે સમયે નિયામકશ્રી, શાળાઓ દ્વારા જાહેર કરેલ શાળાઓની અધતન પસંદગી યાદી પૈકીની શાળાઓમાં પ્રવેશ મેળવી તે બાબતનું જનરલ રજીસ્ટર નંબર અને શાળાના આચાર્યના સહી અને સિક્કા સાથે પ્રમાણપત્ર પોર્ટલ ઉપર અપલોડ કરવાનું રહેશે.

    D. આ ઠરાવના ઉચિત અમલીકરણ માટે શિક્ષણ વિભાગ અથવા નિયામકશ્રી, શાળાઓ દ્વારા જરૂરી આનુષંગિક સૂચનાઓ આપી શકશે.

    FAQ 

    Q 1 .આ યોજના પેહેલા ક્યાં નામે હતી ?

    ANS - આ  પહેલા જ્ઞાન સેતુ સ્કૂલ નામે હતી .

    Q . આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ કયું રહેશે ?

    ANS -  ૨૦૨૩-૨૪

    Q.3 આ યોજના માં બસ પાસ કે મુસાફરી મળશે?

    ANS. હા આની જોગવાઈ વિદ્યાર્થી માટે છે. 

    No comments:

    Post a Comment