ભારતનું ગર્વ છે એશિયાટિક લાયન ભારતની પ્રજાની પ્રકૃતિ પણ આ સિંહ જેવી હોવાની અનુભૂતિ વિશ્વ એ કરી છે. ભારતના આ ગૌરવ ને જાળવી રાખવુ જરૂરી છે. માટે જ દર વર્ષે 10 ઓગસ્ટ એ 'વિશ્વ સિંહ દિવસ' ઉજવવામાં આવે છે. ની ડિજિટલ ઉજવણી :માનવ અને સિંહ માટે 'ફ્રેન્ડશીપ ડે '
હું જાણું છું કે, સિંહ એશિયા ખંડનાં ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિહરે છે. આપણાં તમામનાં સાથ સહકારથી સિંહોની સંખ્યામાં ઉતરોત્તર વધારો થયેલ છે. આથી ગુજરાતનાં ગૌરવ સમા એશિયાઇ સિંહોનાં સંરક્ષણ માટે હું ખંત પૂર્વક મારૂ યથા યોગ્ય યોગદાન આપવા પ્રતિજ્ઞા લઉં છું.
ગુજરાત રાજયનો સૌરાષ્ટ્ર વિસ્તાર ભારત દેશનાં ગૌરવ સમા એશિયાઇ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે, આ બાબતનું સૌરાષ્ટ્રનાં લોકો ખુબ ગર્વ અને ગૌરવ અનુભવે છે. એશિયાઇ સિંહો સૌરાષ્ટ્ર વિસ્તારનાં ગીર જંગલ તેમજ ગીર આસપાસનાં અન્ય વિસ્તારોમાં જેવા મળે છે, આવાં એશિયાઇ સિંહનાં સંરક્ષણ અને સંવર્ધનમાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં સ્થાનીક લોકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ રહયો છે. ગીર જંગલનું સંરક્ષણ અને તેમા કુદરતી રીતે વસવાટ કરતા વન્યપ્રાણીઓનું સંવર્ધન ગુજરાત વન વિભાગનાં અથાગ પરીશ્રમ અને ગીરની આસ-પાસ રહેનાર સ્થાનિક લોકોનાં સહકારને આભારી છે. ગીર જંગલ વિસ્તારમાંથી નિકળતા નાના મોટા નદી, નાળા તેમજ ઝરણાઓ ગીરની શોભા વધારે છે. તેમજ ગીર આસ-પાસનાં વિસ્તારમાંથી પણ આ નદી, નાળા પસાર થતા હોય આવાં વિસ્તારમાં પાણીનો સ્રોત વિપુલ પ્રમાણમાં જળવાઇ રહે છે, જેથી આવી એશીયાઇ સિંહોની સોરઠધરાની ખેતી અને બાગાયત પણ સમૃદ્ધ છે.
ગુજરાતનું ગૌરવ
આપણો સિંહ,
આપણો સિંહ
આન-બાન ને ગીરની શાન
સાવજ તો છે ગીરની જાન
ગલી ગલી મેં ગુંજે નાદ
ગીરનો સાવજ જીંદાબાદ
શેરીએ શેરીએ એક જ નારો
ગીરનું ગૌરવ સાવજ અમારો
સિંહ દિવસની એક જ વાત
વનરાજ બચાવો એક જ વાત
જય જય ગરવી ગુજરાત
સિંહ બચાવો એક જ વાત
ગીર જંગલ છે આપણી શાન
કરો હેતથી સિંહને સલામ
સિંહને જંગલની ઓથ
જંગલને સિંહની ઓથ
હું છું ગીરનો સિંહ
સિંહ છે તો ગીર છે
ગીર છે તો સિંહ છે
હું છું ગીરનો કેસરી
હું છું ગીરનો સાવજ
સિંહ બચાવો અભિયાન
ઐતિહાસિક દ્રષ્ટિએ સિંહ વિશ્વનાં મોટા વિસ્તારમાં હાજરી ધરાવતાં હતાં. પહેલાં એશિયાઇ સિંહ છેકે નિયિા, મધ્યપૂર્વ એશીયાથી લઇ ભારત સુધી વિસ્તરેલાં હતાં, ત્યાર બાદનાં સમયમાં એશીયાઇ સિંહોનો વસવાટ વિસ્તાર ઘટીને ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યો જેવા કે, હરીયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં હતાં. પરંતુ વર્તમાન સમયમાં સિંહ ગુજરાતનાં સૌરાષ્ટ્રનાં ૩૦,૦૦૦ ચો. કી.મી વિસ્તારમાં મુકત રીતે વિહરતા જોવા મળે છે,
એશિયાઇ સિંહ હાલમાં સૌરાષ્ટ્રનાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને પોરબંદર જીલ્લામાં વિહા જોવા મળે છે તેમજ રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લાનાં વિસ્તારમાં અમુકવાર જોવા મળે છે,
૭ એશિયાઇ સિંહ ગીર તેમજ બ્રુહદ ગીર (રક્ષિત અને આરક્ષિત વીડી તેમજ રેવન્યુ વિસ્તાર) માં જોવા મળે છે. વન વિભાગ અને સ્થાનિક લોકોનાં સહયોગથી છેલ્લા ત્રણ દાયકાઓમાં સિંહની વસ્તીમાં નોંધપાત્ર વધારો થયેલ છે.
✔સિંહ એ એક બિલાડી કુળનું પ્રાણી છે. બિલાડી કુળનાં મોટા પ્રાણીઓ જેવા કે, સિંહ, વાઘ, દિપડો વિગેરે માંથી ફકત સિંહ ર સમુહમાં રહે છે. તેનાં આ સમુહને ‘‘પ્રાઇડ’’ કહેવામાં આવે છે. આમ સિંહ નર ચોકકસ સમયગાળા દરમ્યાન પોતાનાં સમુહ સાથે જોડાયેલું રહે છે.
✔નર સિંહની પ્રજનન ક્ષમતા તેના જીવનનાં ચોકકસ સમયકાળમાં પ્રતિબંધીત હોય છે.
✔સિંહનાં સમુહના નિશ્ચિંત આવાસ વિસ્તાર હોય છે, ત્યાં સમુહનાં તમામ સભ્યો નિર્ભયતાથી વિહરી શકે છે.
✔સમૂહ ને ધરાવતાં હોય તેવા સિંહ પણ પોતાના નિશ્ચિત આવાસ વિસ્તાર ધરાવે છે. આવા એકલા રહેતા સિંહોના વિસ્તાર સમૂહ ધરાવતાં સિંહાનાં વિસ્તાર કરતા મોટા હોય છે.
| |
FECEBOOK |
આ પણ વાંચો :
0 Comments