રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 :અંતર્ગત પાયારૂપ વાચન-લેખન-ગણન કૌશલ્યોના વિકાસ માટે ભારત સરકાર દ્વારા નિપુણ ભારત અભિયાન અમલીકૃત છે, જે અંતર્ગત પૂર્વ પ્રાથમિકનાં ત્રણ વર્ષ અને ધોરણ 1 થી 3 નાં ત્રણ વર્ષ દરમિયાન બાળકોમાં પાયાગત વાચન-લેખન-ગણન કૌશલ્યો કેળવવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. પાંચમી જુલાઈ, 2021ના રોજ સદર મિશનની રાષ્ટ્રવ્યાપી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન વર્ષ 2026-27 સુધી NEP-2020 અનુસંધાને અમલી રહનાર છે.
ધોરણ 1 થી 4 શૈક્ષણિક વર્ષ 2023-24 દરમ્યાન ધોરણ 1 થી 4 માં BASELINE SUERVAY 2023-24 હાથ ધરવામાં આવેલ છે. જેનો વિગતવાર પરિપત્ર રાજ્ય કક્ષાએથી કરવામાં આવેલો છે. તેમજ આ સર્વે માટેના પ્રશ્નપત્ર (ઉપકરણ)પણ મોકલી આપેલ છે. BASELINE SUERVAY માટે પ્રશ્નપત્ર (ઉપકરણ)નો ઉપયોગ કરીને કેવી રીતે કરવું તે અંગેની વિડીઓ માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે. આપેલ લિંક પર ક્લિક કરી વિડીઓ માર્ગદર્શિકા મેળવી શકો છો. જેનો વિગતવાર અભ્યાસ કરીને શાળા કક્ષાએ BASELINE SUERVAY સુચારુ રીતે અમલીકૃત થાય અને રાજ્ય કક્ષાએથી નિયત થયેલ આયોજન મુજબ થાય તે માટે આ વિડીયો માર્ગદર્શન છે.
ભારત સરકાર દ્વારા આ મિશનનું નિયમિત રીતે મોનીટરીંગ કરવામાં આવે છે. ગત વર્ષે બેઇઝલાઇન શૈક્ષણિક મૂલ્યાંકનની કામગીરી આપણા રાજ્યમાં હાથ ધરવામાં આવેલ હતી. આ પ્રકારનું મૂલ્યાંકન ચાલુ વર્ષે કરીએ તો શિક્ષક અને વિદ્યાર્થીઓમાં આ અંગે જાગૃતિ આવે અને જરૂરી ઉપચારાત્મક કાર્ય કરી શકાય. આથી ચાલુ વર્ષે પણ આવો શૈક્ષણિક સર્વે હાથ ધરવામાં આવનાર છે.
ધોરણ-૧ | |
ધોરણ-૨ | https://youtu.be/QML6NXrK_yE |
ધોરણ-૩ | |
ધોરણ-૪ |
ધોરણ 1 માં દાખલ થનાર બાળકો | બાલવાટિકાની અધ્યયન નિષ્પત્તિઓ, |
ધોરણ 2 માં | ધોરણ 1 અધ્યયન નિષ્પત્તિઓ, |
ધોરણ 3માં | ધોરણ 2 અધ્યયન નિષ્પત્તિઓ, |
ધોરણ4 માં | ધોરણ 3 અધ્યયન નિષ્પત્તિઓ, |
તારીખ | 15 /7/2023 |
ડેટા એન્ટ્રી અંતિમ તારીખ | 30/7/2023 |
હોમ પેજ | |
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ડેટા એન્ટ્રીધોરણ 1અને 2 | |
વિદ્યા સમીક્ષા કેન્દ્ર ડેટા એન્ટ્રીધોરણ 3અને 4 |
0 Comments