જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા 2024-2025 વિશે જાણીયે
આપ સૌ જાણો છો તેમ ચાલુ સાલે ધોરણ- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટેની જાહેરાત આવી ગઈ છે. આ પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને તેની અંતિમ તારીખ 10/08/2023 સુધીની છે. જે અંગેના ફોર્મ જવાહર નવોદય વિદ્યાલય સમિતિ ની વેબસાઈટ પરથી ભરી શકાય છે.
✅ નવોદય વિદ્યાલયની આ પ્રવેશ પરીક્ષામાં જે બાળક સારા મેરીટ સાથે પાસ થઈ પ્રવેશ માટે સિલેક્ટ થાય છે તે બાળકનો ધોરણ 6 થી ધોરણ 12 સુધીનો ભણવા અંગેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી નિશુલ્ક મળે છે.
(જેમાં નિવાસી શાળા (હોસ્ટેલ) માં રહેવા - જમવાની સુવિધા, સ્કૂલ યુનિફોર્મ, ટ્રેકશૂટ, 2 જોડી બુટ - મોજા (સ્કૂલ તેમજ સ્પોર્ટ માટે) ન્હાવા ધોવાના સાબુ, બ્રસ, ઉલિયું, તેલ, કોલગેટ, સ્વેટર, ગરમ ધાબળા, શાળાના અભ્યાસક્રમના પુસ્તકો, નોટબુક - ફુલસ્કેપ ચોપડા, સ્કૂલ બેગ ટુંકમાં...તમામ શૈક્ષણિક સ્ટેશનરી)
✅શિક્ષણનું માધ્યમ ધોરણ 6 થી જ અંગ્રેજી માધ્યમ (CBSC બોર્ડ) હોય છે.
✅ દરેક જિલ્લામાં એક નવોદય વિદ્યાલય આવેલી હોય છે. જ્યાં 40 + 40 એમ કુલ 80 વિદ્યાર્થીઓના કુલ 2 કલાસ કાર્યરત હોય છે. એટલે કે દરવર્ષે ધોરણ 5માં લેવાતી આ પ્રવેશ પરીક્ષામાં કુલ 80 વિદ્યાર્થી પ્રવેશપાત્ર થાય છે.
✅ વિદ્યાર્થી ચાલુ સાલે જે જિલ્લાની જે શાળામાં ધોરણ 5 નો અભ્યાસ કરી રહ્યો હોય તે જ જિલ્લા માટે તે પ્રવેશ પરીક્ષા આપી શકે છે.
✅ નવોદય વિદ્યાલય પ્રવેશ માટે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ભણતા બાળકો માટે 75% સીટો પર પ્રવેશ મળવાપાત્ર છે. Magnet જ્યારે શહેરી વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે 25% સીટો પર પ્રવેશ મળવા પાત્ર છે.
✅ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, હિન્દી,અંગ્રેજી તેમજ મરાઠી એમ કુલ ચાર ભાષાનું છે.* ચાર ભાષા પૈકી કોઈ એક ભાષામાં પરીક્ષા આપી શકાય છે.
✅ પરીક્ષા કુલ 100 ગુણની લેવામાં આવે છે.જેમાં કુલ 80 પ્રશ્નો પૂછવામાં આવે છે. પરીક્ષાનો સમય કુલ 2 કલાક નો હોય
⇒દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
⇒કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય. વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
⇒પ્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન - પ્રદાન. • રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.
🔻વિદ્યાર્થી નો ફોટો
🔷વિદ્યાર્થી નું આધાર કાર્ડ
🔶માતા અથવા પિતાનું આધાર કાર્ડ
🔺શાળામાંથી લેવાનું થાતું પ્રમાણપત્ર (ઓનલાઈન પ્રિન્ટ કઢાવી લઈ જવી)
Name of the Exam | Jawahar Navodaya Vidyalaya Selection Test |
Academic session | 2024-25 |
Conducting body | Navodaya Vidyalaya Samiti (NVS) |
Admission level | National level |
Exam frequency | Once |
Affiliation of the schools | CBSE |
Mode of the Application Process Mode of Examination | Online Mode Offline Mode |
Selection Basis | Written test (class VI & IX) and lateral entry ( Class XI |
Classes | VI & IX class |
JNVST help Number | 0120-2975754 |
website | Navodaya Vidyalaya Admission.in |
નવોદય પેપર વર્ષ 2023 અહીંયા ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2022 અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2021 અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2020 અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2019 અહિં ક્લીક કરો
નવોદય પેપર વર્ષ 2018 અહિં ક્લીક કરો
જવાહર નવોદય ફોર્મ ભરવાની વેબસાઈટ
જવાહર નવોદય વિદ્યાલય ફોર્મ 2024ભરવા માટે વેબસાઈટ | અહીં ક્લીક કરો @ 👈ધોરણ 9 માટે |
જવાહર નવોદય 2023 પરિણામ અને વિગતો | |
હોમ પેજ | |
મારી સાથે જોડાઓ |
➡️પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખ કઈ છે?
Ans. પરીક્ષા ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10/08/23
➡️ નવોદય પરીક્ષા ની તારીખ કઈ છે?
Ans.નવોદય ની પરીક્ષા ની તારીખ 20/01/24
0 Comments