👫સૌથી પહેલાં સંજ્ઞા ની વ્યાખ્યા અને પછી તેના પ્રકાર વિશે ચર્ચા કરીશુ*
➡️ સંજ્ઞા ની વ્યાખ્યા: સંજ્ઞા એટલે જે શબ્દ વ્યક્તિ, વસ્તુ, ગુણ, ભાવ કે ક્રિયાનો નિર્દેશ કરતો હોઈ તો તેને સંજ્ઞા કહેવામાં આવે છે.
➡️ સંજ્ઞાને નામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
🌀🌐 સંજ્ઞા ના કુલ પાંચ પ્રકાર છે :
(૧) વ્યક્તિવાચક સંજ્ઞા
(૨) જાતિવાચક સંજ્ઞા
(૩) સમુહવાચક સંજ્ઞા
(૪) દ્રવ્યવાચક સંજ્ઞા
(૫) ભાવવાચક સંજ્ઞા
વ્યક્તિવાચક સંજ્ઞા: કોઈ પ્રાણી કે પ્રદાર્થને ઓળખવા માટે એક અલગ નામ આપવામાં આવે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
દા.ત. :- હિમાલય, ગુજરાત, રાહુલ, રાજકોટ, ગંગા, ટોમી, વગેરે
જાતિવાચક સંજ્ઞા: કોઈ પ્રાણી કે પ્રદાર્થને પોતાના જાતિ દ્વારા ઓળખવામાં આવે તો તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
દા.ત. :- શહેર, નદી, દેશ, વાદળ, પર્વત, રાજ્ય, માણસ, કૂતરો, વગેરે
સમુહવાચક સંજ્ઞા: વ્યક્તિ, પ્રાણી કે વસ્તુના સમૂહને જે નામે ઓળખવામાં આવે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.
દા.ત.:- ટુકડી, મેળો, ફોજ, ધણ, ટોળું, લૂમ, મેદની, વગેરે
દ્રવ્યવાચક સંજ્ઞા: કોઈ પ્રદાર્થને ઓળખવા માટે વપરાતું નામ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. દ્રવ્યવાચક નામથી ઓળખાતા પ્રદાર્થોની એક, બે, ત્રણ, ચાર એમ ગણતરી કરી શકાતી નથી.
દા.ત. :- ઘી, પાણી, સોનુ, ચાંદી,દૂધ, તેલ, રૂ, તાંબુ, કાપડ, વગેરે
ભાવવાચક સંજ્ઞા: ભાવ, ગુણ, ક્રિયા, સ્થતિ કે લાગણીને ઓળખીએ તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે.
દા.ત. :- મૂર્ખાઈ, ભલાઈ, મીઠાશ, સેવા, કામ, દમ, રણકાર, સચ્ચાઈ, બુરાઈ, શોક, રમત, ગરીબાઈ, વગેરે
0 Comments