વર્ગ-3ના કર્મચારીઓને મિલકત જાહેર કરવાનો કરાયો આદેશ, શું છે આના પાછળનું કારણ?
- ગુજરાત સરકારે વર્ગ-3 ના કાઇમી તથા કરાર આધારીત કર્મચારીને પોતાની મિલકત જાહેર કરવા આદેશ કરાયો છે. અને તમામ મિલકતની માહિતી કર્મયોગી સોફ્ટવેર પર અપલોડ કરવા જણાવવામાં આવ્યું છે.
read more
- ગુજરાત સરકારે એક આદેશ જારી કર્યો છે જેના હેઠળ વર્ગ-3 ના સરકારી કર્મચારીઓએ તેમની તમામ સ્થાવર અને જંગમ સંપત્તિની વિગતો કર્મયોગી સોફ્ટવેર દ્વારા ઓનલાઈન જાહેર કરવાની રહેશે. આ પત્ર નું પાલન ન કરનાર કર્મચારી વિરુદ્ધ કાયદો કાર્યવાહી પણ કરવામાં આવશે. આ સૂચનાથી કર્મચારીઓમાં થોડો અસંતોષ છે, પરંતુ તેનો હેતુ સમજવો જરૂરી છે.
આ પણ વાંચો : Citizenship Amendment Act । CAA CAA Notification : શું છે CAA ? શા માટે આટલો બધો હંગામો? હવે દેશમાં શું બદલાવ થશે ?
તાજેતરના વર્ષોમાં, વર્ગ-3 ના કર્મચારીઓ મોટી સંખ્યામાં લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની જાળમાં પકડાયા છે. આ સ્વતંત્રતા પછીના યુગથી તદ્દન વિપરીત છે જ્યારે સરકારી કર્મચારીઓમાં લાંચ લેવાનું પ્રમાણ દુર્લભ હતું, જેઓ તેમની પ્રામાણિકતા માટે જાણીતા હતા. જોકે, સમય બદલાયો છે. કેટલાક વર્ગ-3 ના કર્મચારીઓ પાસે હવે તેમની આવક કરતાં ઘણી વધારે સંપત્તિ છે.
- ઉદાહરણ તરીકે, વિધાનસભાની અંદર બાર આવ્યું હતું કે ગાંધીનગરમાં એક વર્ગ ત્રણના કર્મચારી પાસે આબજોની સંપત્તિ હોવાનો સામે આવ્યું હતું અને તેમને ડોક્ટર પાસેથી ગેરકાયદેસર રીતે જમીન મેળવી હતી. આજે, સામાન્ય નાગરિકો માટે સરકારી કામ માટે વર્ગ-3 ના કર્મચારીઓનો સંપર્ક કરવો પડતો હોય છે, અને ઘણા કિસ્સાઓમાં કર્મચારીઓ લાંચ ન આપે ત્યાં સુધી કોઈને કોઈ બોલો અને કારણો આપી કામ અટકાવતા હોય છે.
સરકારી લાભ મેળવવા માટે અમારા વોટસઅપ ગ્રુપમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો
જો કે સરકારનો એસેટ ડેકલેરેશન ઓર્ડર સકારાત્મક પગલું છે, પરંતુ મૂળભૂત પ્રશ્ન એ છે કે શું આ નિર્ણયથી લાંચરુશ્વત અને ભ્રષ્ટાચાર અટકશે?
સરકારે વર્ગ 3 ના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. કાયમી કર્મચારી અને કરાર આધારિત આ કર્મચારીઓએ 15 મે સુધીમાં કર્મયોગી સોફ્ટવેરમાં તેમની સંપત્તિની વિગતો ઓનલાઈન જાહેર કરવાની રહેશે. આમ કરવામાં નિષ્ફળતા સરકાર દ્વારા કાર્યવાહીમાં પરિણમી શકે છે. આ જરૂરિયાતમાં સ્થાવર અને જંગમ મિલકત બંનેની માહિતીનો સમાવેશ થાય છે. અગાઉ માત્ર વર્ગ-1 અને વર્ગ-2ના કર્મચારીઓએ તેમની સંપત્તિની વિગતો સબમિટ કરવાની હતી, પરંતુ હવે આ વર્ગ-3ના કર્મચારીઓને પણ લાગુ પડે છે.