શિક્ષણ પંચો અને શિક્ષણ નીતિ SHIXAN PANCHO ANE SHIXAN NITI BHAG 2

શિક્ષ ણ પંચો અને શિક્ષણ નીતિ  SHIXAN PANCHO ANE SHIXAN NITI  BHAG 2 

👫મુદલિયાર પંચ (માધ્યમિક શિક્ષણ પંચ ૧૯૫૨-૫૩)

    ભારતની સ્વતંત્રતા બાદ માધ્યમિક શિક્ષણ માં ગુણવત્તા સુધાર કરવા માટે વર્ષ 1952-1953માં માધ્યમિક શિક્ષણ આયોગ ની રચના કરવામાં આવી 

    💥અધ્યક્ષ 

    👉ર્ડા .એ લક્ષમણ સ્વામી મુદલિયાર 

    💥આયોગ ની રચના 

    👉6 ઓક્ટોમ્બર 1952

    💥રિપોર્ટ 

    👉1953

    💥આયોગ નું બીજું નામ 

    👉માધ્યમિક શિક્ષણ આયોગ 

    કેળવણી નિરીક્ષક અને શિક્ષણ ના કાર્યક્રમ ની વેબસાઈટ 

    👉અહીંયા થી જુવો 

    • માધ્યમિક સ્તરે ત્રણ ભાષાઓનું શિક્ષણ ફરજિયાત કરાયું.
    • તેના અનુસંધાનમાં ‘અખિલ ભારતીય ખેલકૂદ પરિષદ’ની સ્થાપના કરવામાં આવી.
    • માધ્યમિક શિક્ષણના સંદર્ભમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોને સલાહ આપવા માટે ‘અખિલ ભારતીય માધ્યમિક શિક્ષણ પરિષદ’ની સ્થાપના થઈ. -
    • ડૉ. લક્ષ્મણ સ્વામી મુદલિયારની અધ્યક્ષતામાં ઈ.સ. 1952માં આ પંચની રચના કરવામાં આવી.
    • અભ્યાસક્રમમાં વૈવિધ્ય લાવવું, ત્રિસ્તરીય સ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવાની ભલામણ કરી. -
    • - પંચે નોંધ્યું કે તત્કાલીન અભ્યાસક્રમ અને અધ્યાપન પરીક્ષાકેન્દ્રી બની ગયું છે. જેના કારણે વિદ્યાર્થીની રસરુચિ, મૌલિકતા અને ક્ષમતાઓ પર વિઘાતક અસર પડે છે.

    👉મુખ્ય ભલામણો :

    •  હેતુલક્ષી પરીક્ષા પદ્ધતિ અપનાવવી.
    • સ્કૂલોએ વિદ્યાર્થીની પ્રગતિનો રેકોર્ડ રાખવો અને સર્વાંગી પ્રગતિ પર ભાર મૂકવો.
    • - સંખ્યાત્મક ગુણ (માર્કસ) આપવાના બદલે સાંકેતિક અંકન (ગ્રેડ) પદ્ધતિને અનુસરવું.
    • એક જાહેર પરીક્ષા લેવી જેનાં અંતિમ પરિણામ આપતી વખતે શાળા દ્વારા લેવામાં આવેલી કસોટીઓ, સ્કૂલ રેકોર્ડ અને જાહેર પરીક્ષાના પરિણામના આધારે પ્રમાણપત્ર આપવું. -
    • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ એક કેન્દ્રીય અભ્યાસક્રમ હોવો જોઈએ. ભાષા, સામાજિક વિજ્ઞાન, ગણિત, કલા, સંગીત, શારીરિક શિક્ષણ જેવા મૂળભૂત વિષયોનો કેન્દ્રીય વિષયોમાં સમાવેશ કરવો જોઈએ. આ સૂચન મુજબ પ્રાદેશિક સરકારોએ ટેકનિકલ, વાણિજ્ય (કોમર્સ) અને કૃષિ હાઈસ્કૂલને વધારે અનુદાન આપવાનું શરૂ કર્યું. -
    • માધ્યમિક સ્તર પર વ્યવસાયિક અભ્યાસક્રમની શરૂઆત કરવામાં આવી. -

    માધ્યમિક સ્તરે ભારતીય ભાષાઓને શિક્ષણના માધ્યમરૂપે સ્વીકારવામાં આવી. જો કે વિશ્વવિદ્યાલય સ્તર પર અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ અનિવાર્યપણે રહ્યું. ૧૯૫૨-૫૩ માં નિમાયેલા માધ્યમિક શિક્ષણ પંચે શિક્ષણના નીચેના ઉદ્દેશ્યો (goals )નક્કી કર્યા હતા.

    •  👉લોકશાહી નાગરિકતાનો વિકાસ 
    • 👉જીવન જીવવાની કળા માટે શિક્ષણ
    •  👉સાચી દેશભક્તિની ભાવનાનો વિકાસ 
    • 👉વ્યવસાયિક ક્ષમતાનો વિકાસ
    •  👉વ્યકિતત્ત્વનો વિકાસ
    • 👉નેતૃત્વ માટેની કેળવણી

    ભાષા ઓનું અધ્યન વિષય વહેંચણી

    • 💢હિન્દીને માધ્યમિક વિદ્યાલય સ્તર પર અનિવાર્ય વિષય તરીકે ભણાવવામાં આવે.
    • 💢 સંસ્કૃત વિષયને માધ્યમિક વિદ્યાલયમાં મુખ્ય સ્થાન આપવામાં આવે. 
    • 💢પ્રત્યેક રાજ્યમાં એક પાઠ્યપુસ્તક સમિતિનું ગઠન કરવામાં આવે. 
    • 💢 પાઠ્યપુસ્તકોમાં ઝડપી પરિવર્તન કરવાની પ્રથા સમાપ્ત કરવામાં આવે. 
    • 💢વિદ્યાર્થીઓને વધારેમાં વધારે સામુહિક કાર્ય ના અવસર આપવામાં આવે.


    મૂળ વિષયો 

    વૈકલ્પિક વિષયો 

    બે ભાષા 

    માનવ વિજ્ઞાન 

    સામાજિક વિજ્ઞાન 

    તકનીકી 

    ગણિત 

    વાણિજ્ય 

    સામાન્ય વિજ્ઞાન 

    કૃષિ 

    કોઈ એક શિલ્પ 

    લલિત કલા 


    ગૃહ વિજ્ઞાન 




    માધ્યમિક શિક્ષણનું પ્રશાસન અને નાણાકીય વ્યવસ્થા.


    •  ௫પ્રત્યેક રાજ્ય માં શિક્ષણ સલાહકાર બોર્ડની સ્થાપના કરવી જોઈએ .
    •  પ્રત્યેક રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના કરવી જોઈએ . 
    •  માધ્યમિક વિદ્યાલયમાં આપવામાં આવતું દાન આયકર થી મુક્ત હોવું જોઈએ.
    •  માધ્યમિક વિદ્યાલયના નિરીક્ષણ માટે ઉચિત સંખ્યામાં નિરીક્ષણ કર્તા ઓ ની નિયુક્તિ કરવી જોઈએ.

    👫કોઠારી પંચ

    • (રાષ્ટ્રીય શિક્ષણ પંચ ૧૯૬૪-૬૬) - ભારત સરકારે 4 જુલાઈ, 1964ના રોજ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના અધ્યક્ષ પ્રો. ડી. એચ. કોઠારીના અધ્યક્ષપદે એક પંચની નિમણૂક કરી. 
    •  આ પંચમાં 14 જેટલા સભ્યો હતા. તેમાં 9 ભારતીયઅને 5 ભારત સિવાયના સભ્યો હતા.

    - 👉કોઠારી કમિશન ભારતના શિક્ષણના ઈતિહાસમાં ‘મેગ્નાકાર્ટા’ તરીકે જાણીતું બન્યું હતું.

    ભારતના શૈક્ષણિક ઈતિહાસમાં આ આયોગનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. એનાં બે કારણો છે.

    •  (૧) શિક્ષણના પુનરુદ્ધાર માટે વ્યાપક વિચાર,
    • (ર) રાષ્ટ્રીય શિક્ષણનીતિનું માળખું તૈયાર કર્યું.

    👉સરકાર દ્વારા શિક્ષણ માટે રચવામાં આવેલું આ છઠ્ઠું પંચ હતું. પરંતુ વાસ્વતિક રીતે ભારતીય શિક્ષણ પદ્ધતિનો સંર્વાંગી અભ્યાસ કરનાર આ પ્રથમ પંચ હતું. જેના પરિણામસ્વરૂપ ૧૯૬૮માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી. તેની મુખ્ય ભલામણો નીચે મુજબ હતી.

    💥કમિશને દેશભરમા 10+2+3 પેટર્ન વાળી શિક્ષણ પ્રણાલી ને માન્યતા આપી 

    💥કમિશન દ્વારા સલાહ આપવામાં આવી. કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે જેમાં મોન્ટેસરી, કિન્ડર ગાર્ડન જેવા નામ આપવામાં આવેલા છે તેની જગ્યાએ પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણ નામ આપવામાં આવે.

     💥 ધોરણ 11 અને 12 ની કક્ષાઓને હાયર સેકન્ડરી માં વર્ગીકૃત કરવામાં આવે. 

    💥શાળા માટે 234 દિવસ અને કોલેજો માટે 216 દિવસ નિર્ધારિત કરવા.

    💥 રાષ્ટ્રીય અવકાશ કરવાની પણ ભલામણ કરી.

    💥 પાઠ્યપુસ્તક બે સેટ નિર્ધારિત કરવામાં આવે જેમાં એક રાજ્ય સ્તર ૫૨ અને બીજો રાષ્ટ્રીય સ્તર પર પ્રયોગ કરવામાં આવે.

     💥અખિલ ભારતીય શિક્ષણ સેવા નું ગઠન કરવામાં આવે.

    💥રાજ્ય સરકારો દ્વારા રાજ્ય શિક્ષણ સેવા અને રાજ્ય વિદ્યાલય પરિષદનું ગઠન ક૨વામાં આવે.

    👉રાષ્ટ્રીય જીવનની જરૂરિયાતો અને ઈચ્છાઓને પરિપૂર્ણ કરે તે પ્રકારની શિક્ષણ પદ્ધતિ અપનાવવી.યોગ્ય સ્તર પ્રાપ્ત કરવા માટે શિક્ષણમાં ગુણાત્મક સુધારણા કરવી.

    👉સમાન શૈક્ષણિક અવસરો ઉપલબ્ધ કરાવવા. પંચે શિક્ષણને ભારતીય સમાજમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માટે શક્તિશાળી માધ્યમ તરીકે માન્યું. સંગઠિત

    👉શિક્ષણ કાર્યક્રમની જરૂરિયાત પણ જણાતાં આયોગ દ્વારા બાર કાર્યદલ અને સાત કાર્યકારી સમૂહની રચના કરવામાં આવી. જેના દ્વારા દેશની જરૂરિયાતો અને સામાજિક 

    👉આર્થિક પરિવર્તન વિશે પંચે અનેક ઉપાયોસૂચવ્યા અને ભલામણો કરી.

    પાઠ્યક્રમ સંબંધી ભલામણો

    પ્રાથમિક શિક્ષણનો પાઠ્યક્રમ સરળ હોવો જોઈએ. જેમાં માતૃભાષા અને પર્યાવરણના અધ્યયન પર વિશેષ ભાર આપવામાં આવવો જોઈએ.

    પાઠ્યક્રમ રૂપરેખા

    (1) પૂર્વ પ્રાથમિક સ્તર

    ખોરાક, પોશાક નું કૌશલ્ય, સફાઈ, વાતચીત સામાજિક વ્યવહાર, ખેલકુદ વગેરે નો સમાવેશ ક૨વો.

     (2) પ્રાથમિક સ્તર

    માતૃભાષા શિક્ષણ, વ્યવહારિક ગણિત, સ્વાસ્થ્ય શિક્ષણ, રમત ગમત જેવા વિષયો નો સમાવેશ કરવો

    (3) ઉચ્ચ પ્રાથમિક સ્તર

    માતૃભાષા, હિન્દી અથવા અંગ્રેજી, ગણિત વિજ્ઞાન સામાજિક અધ્યયન, કલા, સમાજસેવા, ધાર્મિક શિક્ષણ જેવા વિષયો નો સમાવેશ કરવો.

    (4) માધ્યમિક સ્તર

    માતૃભાષા, હિન્દી અથવા અન્ય સંઘીય ભાષા ,ગણિત સામાજિક વિજ્ઞાન, કલા, કાર્યાનુભવ વગેરે નો સમાવેશ કરવો.

    (5) ઉચ્ચતર માધ્યમિક સ્તર

     આધુનિક ભારતીય સંઘીય ભાષા, આધુનિક વિદેશી ભાષા અને શાસ્ત્રીય ભાષા આ પૈકી કોઈપણ બે ભાષાઓ, ઇતિહાસ, ભૂગોળ, અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવ વિજ્ઞાન (આ પૈકી કોઈ પણ ત્રણ) જેવા વિષયો નો સમાવેશ કરવો.

    Popular Posts