અમદાવાદ / શિક્ષકો ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આ કામ કર્યું તો ગયા સમજજો!, DEOએ જાહેર કર્યો પરિપત્ર
મોબાઈલ નો દિનપ્રતિદિન ઉપયોગ વધતો રહ્યો છે. તેના કારણે બાળકો નો અભ્યાસ બગડે છે. અમદાવાદ જિલ્લા માં જિલ્લા શિક્ષણ અને શિક્ષણ વિભાગ યે મોબાઈલ ચાલુ શાળા યે ન વાપરવાની અને ચાલુ અભ્યાસ દરમિયાન મોબાઈલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
મોબાઇલ વાપરવા પર શિક્ષકોને પ્રતિબંધ
શૈક્ષણીક કાર્ય દરમિયાન મોબાઇલના વપરાશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમદાવાદના ડીઇઓએ પરિપત્ર જાહેર કર્યો છે. અનેક સ્કુલોમાં શૈક્ષણીક કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઇલનો વપરાશ કરતા હોય છે.
ડીઈઓના પરિપત્ર પ્રમાણે શિક્ષકોએ હવે સ્કુલમાં પ્રવેશતાની સાથે જ આચાર્ય પાસે મોબાઇલ જમા કરાવવાનો રહેશે. રિશેષ દરમિયાન જ શિક્ષકો મોબાઇલનો ઉપયોગ કરી શકશે.
એટલું જ નહીં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષક જો મોબાઇલનો ઉપયોગ કરતા ઝડપાશે તો દંડનીય કાર્યવાહી પણ થશે. સાથે જ આચાર્યને મોબાઇલ રજીસ્ટર જાળવવા પણ સુચના આપવામાં આવી છે.
મોબાઈલ પ્રતિબંધ બાબતે
અમદાવાદના શિક્ષકો માટે જિલ્લા શિક્ષણાધિકારનો મોટો નિર્ણય
શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઈલના વપરાશ પર મુકાયો પ્રતિબંધ
શાળામાં પ્રવેશતા જ આચાર્ય પાસે જમા કરાવવો પડશે ફોન
રિસેસ દરમિયાન જ કરી શકાશે મોબાઈલનો ઉપયોગ
શિક્ષકો મોબાઈલનો ઉપયોગ કરતા ઝડપાશે તો થશે દંડનીય કાર્યવાહી
આચાર્યને મોબાઈલ રજિસ્ટર જાળવવા પણ સૂચના અપાઈ છે.
આ પણ વાંચો :
0 Comments