દીપાવલી
માત્ર શિક્ષક માટે
👉દિવાળી ના મુહૂર્ત
શ્રી ગણેશાય નમઃ દિવાળી પર્વ ઈ.સ.૨૦૨૨
ચોપડા લાવવાનું મુહૂર્ત તા.18-10-22 મંગળવાર (પુષ્યનક્ષત્ર)
1. સવારના ૯:૩૦થી બપોરના ૧:૫૧ ચલ લાભ અમૃત 2. બપોરના ૩:૧૭થી સાંજના ૪:૪૪ શુભ ૩. સાંજના ૪:૪૪થી રાત્રીના ૯:૧૭ લાભ રમાએકાદશી/વાઘબારસ તા.21-10-22 શુક્રવાર
ધનતેરસ તા.22-10-22 શનિવાર નોંધઃ તેરસ સાંજના 6:30થી છે પરંતુ શાસ્ત્ર અનુસાર લક્ષ્મીપૂજન આખા દિવસ રાતમાં આપની અનુકૂળતાએ શુભ ચોઘડિયામાં કરી શકો છો.
1. સવારના 8:04 થી સવારના 9:30 શુભ 2. બપોરના 12:26થી સાંજના 4:42 ચલ, લાભ, અમૃત ૩. સાંજના 6:08થી સાંજના 7:42 લાભ 4. રાત્રીના 9:16થી રાત્રીના 1:57 શુભ અમૃત ચલ -
કાળી ચૌદસ તા. 23-10-22 રવિવાર દિવાળી તા.24-10-22 સોમવાર
1. સવારના 6:39થી સવારના 8:05 અમૃત 2. સવારના 9:31થી સવારના 10:57 શુભ ૩. બપોરના 1:49થી સાંજના 7:41 ચલ લાભ અમૃત ચલ 4. રાત્રીના 10:49થી રાત્રીના 12:23 લાભ
નૂતનવર્ષ। ભાઈબીજ તા.26-10-22 બુધવાર
1. સવારના 6:40થી સવારના 9:31 લાભ, અમૃત 2. સવારના 10:57થી બપોરના 12:22 શુભ લાભ પાંચમ ક્ષય તિથિ હોવાથી મુહૂર્ત નથી આવતા
જલારામ જયંતિ તા.૩૧-૧૦-૨૨ સોમવાર 1. સવારના 6:42થી સવારના 8:07 અમૃત 2. સવારના 9:32થી સવારના 10:57 શુભ
👉દિવાળી પૂજા વિધિ
દિવાળી પર લક્ષ્મી પૂજનનો વિશેષ નિયમ છે. આ દિવસે સાંજ અને રાત્રિના શુભ મુહૂર્તમાં દેવી લક્ષ્મી, વિઘ્નહર્તા ભગવાન ગણેશ અને માતા સરસ્વતીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. પુરાણો અનુસાર, કાર્તિક અમાસની અંધારી રાત્રે મહાલક્ષ્મી સ્વયં પૃથ્વી પર આવે છે અને દરેક ઘરમાં વિચરણ કરે છે. આ સમય દરમિયાન જે ઘર દરેક રીતે સ્વચ્છ અને ઉજ્જવળ હોય છે, તેઓ ત્યાં અપૂર્ણાંક સ્વરૂપે રહે છે, તેથી દિવાળીના દિવસે નિયમ પ્રમાણે સાફ-સફાઈ અને પૂજા કરવાથી દેવી મહાલક્ષ્મીની વિશેષ કૃપા થાય છે. લક્ષ્મી પૂજાની સાથે કુબેર પૂજા પણ કરવામાં આવે છે. પૂજા દરમિયાન આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ
દિવાળી કથા ઓ
કારતક માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે. દેશભરમાં આ પ્રકાશપર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. દિવાળી માત્ર એક દિવસનો નહીં પાંચ દિવસનો તહેવાર છે. ધનતેરસથી શરૂ થતો આ પર્વ ભાઈબીજ સુધી ઉજવાય છે.
ભગવાન રામ જ્યારે રાવણને મારી અને અયોધ્યા નગરી પરત ફર્યા હતા ત્યારે નગરવાસીઓએ અયોધ્યાને સાફ કરી રાત્રે દીપ પ્રજ્વલિત કર્યા હતા.. તે દિવસથી આજ સુધી આ પરંપરા ઘરે ઘરમાં ચાલી આવે છે. કારતક માસની અમાસની રાત્રે દીપ પ્રાગટ્ય કરી ઘોર અંધકારને દૂર કરવામાં આવે છે.
જ્યારે દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે આજના દિવસે દેવી લક્ષ્મી ક્ષીર સાગરમાંથી બ્રહ્માંડમાં અવતરીત થઈ હતી. ત્યારથી માતા લક્ષ્મીના જન્મદિવસ તરીકે આ દિવસે દિવાળી ઉજવાય છે અને લક્ષ્મીપૂજન થાય છે.
દિવાળીના એક દિવસ અગાઉ નરકચતુર્દશી ઉજવાય છે. કારણ કે ભગવાન શ્રીકૃષ્ણએ આ દિવસે નરકાસુરનો વધ કર્યો હતો. નરકાસુર એક પાપી રાજા હતા તેણે પોતાની શક્તિથી દેવતાઓ પર અત્યાચાર કર્યો અને અધર્મ ફેલાવ્યો હતો. તેણે સોળ હજાર કન્યાઓને બંધી બનાવી હતી. નરકચતુર્દશીના દિવસે શ્રીકૃષ્ણએ નરકાસુરનો વધ કરી તમામ કન્યાઓને મુક્ત કરી હતી. ત્યાર પછી અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી દિવાળી તરીકે કરવામાં આવે છે.
લક્ષ્મીજી ધનની દેવી છે અને ગણેશજી બુદ્ધિના દેવતા છે. આ દિવસે બંનેની પૂજા કરવાથી બુદ્ધિ અને ઐશ્વર્ય વધે છે. એટલા માટે કહેવાય છે કે જો ઘરમાં લક્ષ્મી આવે અને તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તે ટકતી નથી. એટલા માટે દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન પૂર્વે ગણેશ પૂજા કરવામાં આવે છે.
👉દીપાવલી વિવિધ રંગોળી ફોટા
વિવિધ શુભ કામનાઓ
Post a Comment